We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sugandh Ekbijani By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Sugandh Ekbijani By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Sugandh Ekbijani By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં માતા-પિતા વિશે ક્યારેક વિરોધ, ગુસ્સો કે અણગમો થયા હશે, આપણે પણ સામે બોલ્યાં હોઈશું કે એમને દુઃખ થાય એવી રીતે એમનું અપમાન કર્યું હશે... બધાએ ન કર્યું હોય તો પણ, આપણામાંના ઘણા હશે જે પોતાનાં માતા-પિતાની બધી વાત સાથે સહમત નહીં થઈ શક્યા હોય. આજની પેઢી અસહમત થાય એની સામે કોઈ વિરોધ ન જ હોઈ શકે. બે પેઢીઓ દરેક વાતમાં સહમત હોય એ શક્ય પણ નથી અને ઇચ્છનીય પણ નથી, પરંતુ જ્યારે જ્યારે કાયદો તોડવામાં આવે ત્યારે વિનય ન ચુકાવો જોઈએ એ વાત કદાચ નવી પેઢી અથવા ટીનએજથી પચ્ચીસ-છવ્વીસ સુધીની ઉંમરના યુવાનોને સમજાતી નથી. [ પુસ્તકના ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...’ લેખમાંથી ] એક એવી પેઢી જે આવતાં ૧૦-૧૫ વર્ષમાં સંસાર છોડીને ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે, પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલદી સૂએ, સવારે જલદી જાગે, સવારના અંધકારમાં ફરવા નીકળે, આંગણાના ફૂલ-છોડને પાણી પિવડાવે, દેવપૂજા માટે ફૂલ તોડે, રોજ પાઠ-પૂજા કરે ને મંદિર પણ જાય. રસ્તામાં મળે એને સુખ-દુઃખ પૂછે, બે હાથ જોડીને પ્રણામ કરે. સ્નાન વગર અન્નનો કોળિયો ગળે ન ઉતારે. તહેવાર, મહેમાન, શિષ્ટાચાર, અન્ન, શાકભાજી, તીર્થ, રીતિરિવાજ અને સનાતન ધર્મની એમની પોતાની વ્યાખ્યાઓ છે. આ પેઢી ફોન નંબરની ડાયરી રાખે છે. હજી કાગળનું છાપું હાથમાં પકડીને વાંચે છે. એમને હજીયે બે આંખની શરમ છે અને સમાજનો ડર છે. એ જૂના ચપ્પલ સંધાવીને પહેરે છે. ચશ્માની દાંડી તૂટી જાય તો દોરા લપેટે છે. નજર ઉતારે છે, લીમડાનું કે બાવળનું દાતણ મળે તો રાજી થઈ જાય છે. એમને હજી ઘરનું જ ભોજન ભાવે છે... શાકભાજીની લારી કે રિક્ષાવાળા સાથે બે રૂપિયા માટે જીભાજોડી કરે છે. આ પેઢી સંતોષભર્યું જીવન, સાદગી સાથે વિતાવે છે. [ પુસ્તકના ‘મેરા દેશ બદલ રહા હૈ?’ લેખમાંથી ] એક મોટા દરિયા, નદી કે કોઈ વાસણમાંથી પણ લોટો ભરીને પાણી કાઢી લઈએ તો એ પાણીના અભાવમાં વાસણ રડતું નથી. ઘરમાંથી ગયેલી વ્યક્તિને યાદ કરીને ઘર માથાં પછાડતું નથી. કબાટમાં લટકતી સાડી છ મહિના, વર્ષ સુધી ચૂપચાપ લટક્યા કરે છે. એ હાથ લંબાવીને આપણને બોલાવતી નથી... સમય સાથે માણસે ધીમે ધીમે પોતાના વ્યક્તિત્વને એવું બનાવું જોઈએ કે આ વસ્તુઓ જેમ આપણા તરફ આકર્ષાતી નથી એમ જ આપણે પણ વસ્તુઓથી બંધાવાનું છોડવું જોઈએ. જે ઘર બનાવવા માટે આખી જિંદગી ખર્ચી નાખીએ, જે કપડાં ખરીદવા, દાગીના વસાવવા કે પૈસા બચાવવા માટે આપણી જિંદગીનો વધુમાં વધુ સમય આપણે વાપરી નાખીએ એ બધું તો અહીં જ મૂકીને જવાનું છે એવી આપણને બધાને ખબર તો છે જ, બસ! સમજ નથી! [ પુસ્તકના ‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહેસૂસ હો જહાં’ લેખમાંથી ]

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sugandh Ekbijani By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 57
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વ..
from
Rs. 200.00
Add to Cart
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડ..
from
Rs. 200.00
Add to Cart
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ ..
from
Rs. 200.00
Add to Cart
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોક..
from
Rs. 200.00
Add to Cart