We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sanidhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Sanidhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Sanidhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sanidhya Ekbijanu By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 22
All over India Fast Shipping Via courier or India Post.
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ સાથેના આપણા અનુસંધાનને અવગણીએ છીએ. ઈશ્વરનું અસ્તિત્વ આપણા માટે આપનારનું છે, અથવા તો રક્ષકનું છે. પરમતત્ત્વ કે ઈશ્વર આપણી અંદર રહેલી વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેનું પ્રતિબિંબ છે. આપણે જે માંગીએ તે જ આપણને મળે એવું અસ્તિત્વનું વચન છે. આ વાતની આપણને ખબર નથી અથવા ખબર છે તો એને આપણે ગંભીરતાથી લેતા નથી. જ્યારે આપણે વસ્તુઓ માટે અસ્તિત્વ પાસે હાથ ફેલાવીએ છીએ,  ત્યારે અસ્તિત્વ પણ આપણને એ જ દુન્યવી ચીજોમાં ગૂંચવાયેલા રાખવાનું પસંદ કરે છે. આપણે જ્યારે સ્વયંને આ બધી રોજિંદી લાલચ અથવા સ્વાર્થથી ઉપર લઈ જઈ શકીએ છીએ ત્યારે અસ્તિત્વ આપણને એની સાથે જોડવામાં ગૌરવ અનુભવે છે. આપણે જે માંગીએ છીએ એની સાથે જોડાયેલી કેટલીયે વાતોની આપણને જાણ નથી હોતી. આપણે જ્યારે કોઈ નેમત, આશીર્વાદ, આવડત કે બીજાઓથી અલગ કલા માંગીએ છીએ ત્યારે અસ્તિત્વ એની સાથે જોડાયેલી પીડા પણ આપણે માટે લખી જ નાખે છે! [ પુસ્તકના ‘દર્દ સે મેરા દામન ભર દે...’ લેખમાંથી ] જે સત્ય છુપાવવું પડે એવાં કામ કરતા તમામ પતિઓને મારે એક સવાલ પૂછવાનો છે, “જે સત્ય જાણીને તમારી સાથે જીવેલી, તમને પળેપળ સાચવતી, તમારાં સંતાનોની મા, તમારી સહધર્મચારિણી, તમારી ઘરવાળી, તમારી સાથે બૂઢી થનારી એક સ્ત્રીને જો તકલીફ પહોંચવાની હોય તો એવું કોઈ પણ કામ કર્યા વગર નહીં જ ચાલે? અંગત સુખ અને ભૌતિક જરૂરિયાત તમારા સંબંધથી વધુ છે?” સંબંધોનાં સમીકરણો માણસના મન સાથે જોડાયેલાં છે. અને મનને કોબીની જેમ, કાંદાની જેમ, ધરતીની જેમ કંઈકેટલાયે પડો છે, લેયર છે. આ દરેક લેયરમાં પોતાની જરૂરિયાત, માન્યતા, ભૂતકાળના અનુભવો અને એનો પોતે તારવેલો અર્થ, પોતાની સગવડ અને પોતાની સમજણ મળીને એક વ્યાખ્યા ઊભી કરે છે, વફાદારીની અને ઇમાનદારીની! [ પુસ્તકના ‘વફાદારીઃ વ્યાખ્યા અને વ્યથા...’ લેખમાંથી ] રાધા અને કૃષ્ણનો સંબંધ જન્મજાત વિરહનો સંબંધ છે. કૃષ્ણ સાથે પૂજાય છે રાધા... જે પામી નથી શકી એ પૂજાને પાત્ર બની ગઈ છે. એકબીજાંને માટે જીવતાં, એકબીજાંને ઝંખતાં આ એવાં તત્ત્વો છે જે એકમેકનો યથાર્થ છે. કૃષ્ણની અંદર જે કંઈ છે એ બધું જ રાધાનાં સારતત્ત્વો પર ગોઠવાયેલું છે. કૃષ્ણનો નિષ્કર્ષ છે રાધા, એનું વૈશ્વિક સ્વરૂપ છે. સૃષ્ટિમાં વિહરતી કૃષ્ણની ચેતના છે રાધા. કૃષ્ણનો અર્થ થાય છે કેન્દ્ર, સેન્ટર... જે સેન્ટરથી વિશ્વ તરફ વહી આવે છે તે ધારા છે, પણ જે સમગ્ર વિશ્વમાંથી સ્વયંને સમેટીને સેન્ટર તરફ જાય છે તે રાધા છે. [ પુસ્તકના કૃષ્ણ નામે ગ્રંથનો સરળ અનુવાદ, રાધા!’ લેખમાંથી ]

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Krushnayan by Kajal Oza Vaidya
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વ..
from
Rs. 200.00
Add to Cart
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોક..
from
Rs. 200.00
Add to Cart
અનિશા અને કિશનની પ્રણયકથા... આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી... પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે. પ્રેમ આપણ..
from
Rs. 650.00
Add to Cart