We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Shubh Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Shubh Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Shubh Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વહી ગયેલાં વર્ષો વિશે એટલા બધા નિરાશાજનક છીએ કે આવનારાં વર્ષો તરફ જોઈ શકતા જ નથી. બહુ ઓછા લોકોએ નોંધ્યું હશે રીઅર વ્યૂ મિરર ભલે હોય ડ્રાઇવરની આગળ, પણ દેખાડે છે પાછળનું દૃશ્ય... આપણે સતત રીઅર વ્યૂમાં જોતા નથી! આપણે તો આગળના વિન્ડ સ્ક્રીનને પેલે પાર જોઈએ છીએ, કારણ કે નજર તો આગળના રસ્તા તરફ રાખવાની છે. જવાનું પણ આગળ છે, પાછળ નહીં. રિવર્સ તો ક્યારેક જ કરવાનો વારો આવે. જિંદગીની ગાડી પણ આગળની તરફ જ જાય અને જવી જોઈએ... રીઅર વ્યૂમાં જોવાનું ફક્ત એટલા ખાતર કે પાછળ છૂટી રહેલો રસ્તો તદ્દન ભુલાઈ ન જાય! [ પુસ્તકના ‘રીઅર વ્યૂ નહીં, વિન્ડ સ્ક્રીન... પ્રવાસમાં આગળની તરફ જુઓ’માંથી ] ગાંધી હોવું એ શું, આપણને કદાચ ન સમજાય પરંતુ જ્યારે એની ક્ષણેક્ષણ એ દેશ માટે વાપરતા હોય ત્યારે એની પત્નીને કેટલો સમય આપ્યો હશે ત્યાંથી શરૂ કરીને એના સારા-ખરાબ સમયમાં હાજર રહી શક્યા હશે કે નહીં, એના મૂડસ્વિંગ્ઝ કે ચાર-ચાર ગર્ભાવસ્થા દરમિયાન એની કાળજી લઈ શક્યા હશે કે નહીં... એમણે ક્યારે અને કેટલી વાર પત્ની સાથે બેસીને વાતો કરી હશે? આ બધા સવાલો જો આજની સ્ત્રી પૂછે તો જે જવાબ મળે એ એને સ્વીકાર્ય ન હોય એમ બને, પરંતુ કસ્તુરબાએ આવા સવાલો પૂછ્યા જ નથી. એમને માટે એમનો પતિ જે કરી રહ્યો છે એ ‘ધર્મ’ છે એમ માનીને એમણે પણ કરવું જ રહ્યું એટલું જ એમના જીવનનું સત્ય બની રહ્યું છે! આ દેશીપણું, બેવકૂફી કે પતિપરાયણતાનું કોઈ શરમ આવે એવું ઉદાહરણ નથી. આજના સમયમાં જ્યારે આપણે ઈશ્વરમાં પણ શ્રદ્ધા રાખી નથી શકતા ત્યારે એક માણસમાં શ્રદ્ધા રાખવી સરળ છે? [ પુસ્તકના ‘કસ્તુરબા : નિષ્ઠાના પ્રયોગો’ લેખમાંથી ] આ જીવન એકલી વ્યક્તિનું નથી હોતું. એ જેને ચાહે છે એ બધાં, અને એને ચાહે છે તે બધાંનો એમના જીવન પર અધિકાર હોય છે. આપણા જીવન પર એકલા આપણે આધારિત નથી હોતા, પરંતુ આપણા સ્નેહીજન, પ્રિયજન અને પરિવારજન પણ આધારિત હોય છે. એમને નિરાધાર કરવાનો અધિકાર આપણી પાસે નથી એટલું યાદ રાખીને જવાબદારીની જેમ શરીરને સાચવવું એ પ્રાર્થના જેવી, પ્રામાણિકતા જેવી, માણસાઈ જેવી ફરજ છે. [ પુસ્તકના ‘...તેરી મહેફિલ મેં લેકિન ‘હમ’ ન હોંગે’ લેખમાંથી ]

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Shubh Ekbijanu By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 52
ટીનએજ વટાવી ગયેલાં સંતાનો જ્યારે માતા-પિતાની લાગણીને ન સમજી શકે અથવા સમજવાનો ઇનકાર કરે ત્યારે માતા-પિતાના હૃદયને કેટલી પીડા થતી હશે! આપણને પણ આપણાં મા..
from
Rs. 200.00
Add to Cart
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ ..
from
Rs. 200.00
Add to Cart
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોક..
from
Rs. 200.00
Add to Cart
બે તદ્દન જુદી માનસિકતા ધરાવતી વ્યક્તિ પ્રેમમાં પડે તો શું થાય? આ નવલકથાનો નાયક સત્યજીત, પેથોલોજીકલ લાયર છે. માનસશાસ્ત્રમાં આ એક ડિસઓર્ડર છે. કેટલીક..
from
Rs. 300.00
Add to Cart