We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sakhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Sakhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Sakhya Ekbijanu By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
માણસનું મન જ એના જીવનમાં બનતા પ્રસંગોની અનુભૂતિને સુખ અને દુઃખમાં ટ્રાન્સલેટ કરે છે. કેટલાક લોકો પીડાને પણ પ્રસંગ બનાવી શકતા હોય છે, જ્યારે કેટલાક લોકો માટે પ્રસંગ પણ પીડા બની જતી હોય એવું આપણે નથી જોયું? ધોમધખતો તાપ, વરસાદની પહેલાંના છડીદારની જેમ આવે છે... એ બફારો, એ ઘામ આપણને અનુભૂતિ કરાવે છે કે હવે વરસાદ આવશે. કોઈ એક વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે એની ગેરહાજરીમાં થતી અકળામણ કે ઘામ મિલનના વરસાદ પહેલાંની ક્ષણો છે. આપણે બધા જ મેઘધનુષ્યના પૂજારી છીએ. મૃગજળને વખોડવાની આપણને ટેવ પડી ગઈ છે, પરંતુ જો રણ ન હોત તો લીલોતરીની મજાની આપણને કોઈ દિવસ ખબર પડી હોત ખરી? લાગણીના સંબંધોમાં ઉતાર-ચઢાવ તો આવવા જ જોઈએ. ક્યારેક કોરુંધાકોર પડી જતું મન ને ક્યારેક મુશળધાર વરસતું ચોમાસું એ મનની બદલાતી મોસમનાં પ્રતીક છે. સતત સુખ જ સુખ મળ્યા કરે તો સુખ પણ કદાચ અબખે પડી જાય એવું બને. [ પુસ્તકના ‘મેઘધનુષ્ય અને મૃગજળ : બેઉ સરખા છે.’ લેખમાંથી ] આપણી લાલચ અને આપણી ગરજ આપણને ધીરે ધીરે ખોટા માણસો તરફ લઈ જાય છે. આ ‘ખોટા’ એટલે? એવા માણસો કે જે માત્ર આપણી લાલચ અને ગરજનો ફાયદો ઉઠાવે છે... જે સાચો ગુરુ છે, જે સાચે જ ધર્મ શીખવવાનો પ્રયાસ કરી રહ્યા છે એ ક્યારેય આપણને કશું મેળવવા માટે ધર્મ તરફ વાળવાનો પ્રયાસ ન જ કરે. એક સાચો ગુરુ એ છે જે આપણી અંદર રહેલા માણસને જગાડે. સાચો ગુરુ જ્ઞાનનો માર્ગ બતાવે છે, પ્રજ્ઞા જગાડે છે, ચમત્કાર બતાવીને અભિભૂત કરવાનો ક્યારેય પ્રયાસ નથી કરતો. આંજી દેવાનો પ્રયાસ કરે એ ગુરુ નથી. જે નજર આપે અને નજરમાંથી દૃષ્ટિ પ્રગટાવે એ સાચો ગુરુ છે. આપણી અંદર ખોવાઈ ગયેલો વિશ્વાસ કે શ્રદ્ધા ફરી જગાડે એ ગુરુ છે. જે શીખવે તે શિક્ષક છે પણ જે ગુણને ઉજાગર કરે છે તે ગુરુ છે. [ પુસ્તકના ‘આંખ જો કુછ દેખતી હૈ, લબ પે આ સકતા નહીં... ’ લેખમાંથી ] શબ્દ બંધન છે - શબ્દ મુક્તિ છે, શબ્દ શ્રદ્ધા છે - શબ્દ શંકા છે, શબ્દ સંતોષ છે - શબ્દ ઈર્ષા છે, શબ્દ અહંકાર છે - શબ્દ નમ્રતા છે, શબ્દ માયા છે - શબ્દ વૈરાગ છે, શબ્દ સજા છે - શબ્દ ક્ષમા છે, શબ્દ શીલ છે - શબ્દ વ્યભિચાર છે, શબ્દ પ્રેમ છે - શબ્દ ધિક્કાર છે, શબ્દ હિંસા છે - શબ્દ અભયવચન છે, શબ્દ શાંતિ છે - શબ્દ દાહક છે, શબ્દ વહાલ છે - શબ્દ વેર છે, શબ્દ સમજણ છે - શબ્દ ગેરસમજણ છે, શબ્દ સગવડ છે - શબ્દ જ અગવડ છે, શબ્દ અભિવ્યક્તિ છે - શબ્દ મૌન છે, શબ્દ મુખર છે - શબ્દ શરમાળ છે, શબ્દ વચન છે - શબ્દ છેતરપિંડી છે, શબ્દ વિશ્વાસ છે - શબ્દ માયાજાળ છે, શબ્દ ઈશ્વર છે - શબ્દ રાક્ષસ છે, શબ્દ સાધુ છે - શબ્દ શેતાન છે... [ પુસ્તકના ‘સાધો, શબદ ઐસા બોલિયે’ લેખમાંથી ]

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 200.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Sakhya Ekbijanu By Kaajal Oza Vaidya
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati
Views: 52
મોટા ભાગના લોકો વીતેલાં વર્ષો વિશે અફસોસ કર્યા જ કરે છે... ‘હવે શું?’ એ એમનો પર્મેનન્ટ પ્રશ્ન હોય છે! અગત્યનું એ છે કે હવે પણ ઘણું બાકી છે. આપણે બધા વ..
from
Rs. 200.00
Add to Cart
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
શક્ય છે કે પીડાના સમયમાં, ડૂમો ભરાયો હોય કે અકળામણ થઈ ગઈ હોય, ગૂંચવાઈ ગયા હોઈએ, ફસાઈ ગયા હોઈએ અને મન ભરાઈ આવ્યું હોય ત્યારે આપણી સામે જે આવે એની પાસે ..
from
Rs. 200.00
Add to Cart
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
માધ્યમ ગમે તે હોય પરંતુ બે વ્યક્તિ વચ્ચે જ્યારે ‘સંવાદ’ થાય છે ત્યારે ગેરસમજણ દૂર થાય છે અને પરસ્પર વિશે તથા પોતાના વિશે પણ સમજણ પ્રગટે છે. ‘હું + તું..
from
Rs. 525.00
Add to Cart
ઈશારામાં વાત પતી જતી હોય તો શબ્દ વેડફવો ન જોઈએ અને શબ્દથી વાત પતી જતી હોય તો વાક્ય બોલવાનું ટાળવું જોઈએ એવી કવિ મકરન્દ મુસળેની સમજ છે. લાંબા લાંબા વર્..
from
Rs. 150.00
Add to Cart
તીરછી નજર’ એ ‘હાસબિલોરી’ અને ‘શબ્દઠઠ્ઠા’ પછીનો રજનીકુમાર પંડ્યાની હાસ્યરચનાઓનો ત્રીજો સંગ્રહ છે. હાસ્યરચનાનું સર્જન તત્ત્વતઃ તીરછી નજરનો જ ખેલ હોય છે..
from
Rs. 300.00
Add to Cart