We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Rehab Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza

Rehab Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza
Rehab Book By Dr. Nimitt Oza | Shree Pustak Mandir | Dr. Nimitt Oza
ગણિતશાસ્ત્રી અને ફિલોસોફર બ્લેઈઝ પાસ્કલે કહેલું કે ‘મનુષ્યના જીવનની તમામ સમસ્યાઓ એક ઓરડામાં શાંતિથી એકલા બેસી શકવાની અસમર્થતાને કારણે ઉદ્‌ભવે છે.’ જેમ જેમ મારું વાંચન, મારી સમજણ અને મારા અનુભવો વિકસતા જાય છે, તેમ તેમ પાસ્કલનું આ વિધાન મને વધુ સ્પષ્ટતાથી સમજાતું જાય છે. પોતાની જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ થઈ જવું, એ મનુષ્યની સૌથી મોટી ઉપલબ્ધિ છે. જગત સાથે ભાઈબંધી કરતાં પહેલાં જાત સાથે મિત્રતા કરવી પડે છે. જેઓ પોતાનું કાયમી સરનામું પોતાની જાતમાં નથી શોધી શકતા, તેઓ સતત કશાકની શોધમાં રહે છે. કાં તો પ્રેમની ને કાં તો પ્રશંસાની, કાં તો મિત્રતાની ને કાં તો મનોરંજનની, કાં તો સુખની ને કાં તો સંબંધની. જ્યારે પોતાની જાત રહેવાલાયક નથી રહેતી, ત્યારે માણસ સતત ભટક્યા કરે છે - સંબંધો, પ્લેઝર, સથવારા કે પછી ઓળખ માટે. અને પછી ઘવાય છે. ખૂબ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થાય છે. આપણી કેટલીય ભાવનાત્મક ઈજાઓના મૂળમાં એકલતાનો ડર રહેલો હોય છે. જાતને અવોઇડ કરવા માટે આપણને સતત ડીસ્ટ્રેક્શન્સ જોઈએ છે. કાં તો એન્ટરટેઈનમેન્ટ જોઈએ છે, કાં તો ઇન્ફોર્મેશન. કાં તો રીલ્સ જોઈએ છે, કાં તો ન્યુઝ. કાં તો સાથી જોઈએ છે, કાં તો સથવારો. બસ, આપણે એકલા નથી રહી શક્તા. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે, અજાણ્યા લોકો સાથે ચૅટ કરતી વખતે, ડેટિંગ પ્રોફાઈલ પર ‘સ્વાઇપ રાઈટ’ કરતી વખતે, ટીવી પર ચેનલ્સ બદલતી વખતે અને ‘પ્લેઝર’ની શોધમાં આવા અનેક દરવાજા ખટખટાવતી વખતે જાણે આપણે પૂછ્યા કરીએ છીએ, ‘એક્સક્યુઝ મી, થોડો સમય તમારા ઘરમાં રહી શકું? મને મારામાં મજા નથી આવતી.’ અને પછી આપણે ઘર બદલ્યા કરીએ છીએ. શેરીઓ, રસ્તા અને ઠેકાણાં બદલ્યા કરીએ છીએ. પણ આપણી જાત અને એકાંત પાસે પાછા નથી આવતાં. નોટિફિકેશન્સ, ડીસ્ટ્રેક્શન્સ અને ઈન્સ્ટન્ટ કનેક્શન્સના આ યુગમાં જેઓ જાતમાં પુનવર્સન કરી શકે છે, તેઓ જ પોતાની અલ્ટીમેટ આઝાદી માણી શકે છે. જાતમાં પુનવર્સન કરવા માટે સૌથી ભરોસાપાત્ર ભાઈબંધ એટલે પુસ્તકો. એવું જ એક પુસ્તક એટલે ‘રિહૅબ બુક’. આ પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ તમને તમારી જાત અને એકાંત સાથે કમ્ફોર્ટેબલ કરવાનો છે. આ પુસ્તક હાથમાં હોય ફક્ત એટલી ક્ષણો દરમિયાન જો તમે કોઈ ‘પ્લેઝર સીકિંગ એક્ટીવીટી’, ડોપામીન શોટ્સ કે ઓવર-સ્ટીમ્યુલેશનથી દૂર રહીને એક ઓરડામાં શાંતિથી બેસી શકો, તો બસ એ જ આ પુસ્તકની સાર્થકતા ગણાશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 450.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Rehab Book By Dr. Nimitt Oza
  • Binding: Hardcover
  • Pages: 248
  • Language: Gujarati
Views: 52
Tags: rehab , book , by , dr , nimitt , oza , free , dr , nimitt , oza , gujarati , authors , rehab , book , by , dr , nimitt , oza , online , rehab , book , by , dr , nimitt , oza , buy , online , rehab , book , by , dr , nimitt , oza , pdf , download , rehab , book , by , dr , nimitt , oza , in , gujarati , rehab , book , by , dr , nimitt , oza , in , hindi , rehab , book , by , dr , nimitt , oza , english
મનની વાત, સંભારણાંની સફર અને તમે જ તમારું અજવાળું જેવાં પ્રેરણાત્મક પુસ્તકોનાં લેખક સુધા મૂર્તિ તમારા માટે હવે એવી કથા રજૂ કરે છે જે તમારા જીવનમાં આમૂ..
from
Rs. 135.00
Add to Cart
સત્ય તો એ છે કે જો ખરેખર એટલું જ દુઃખ થયું હોય તો જેણે તમારી સાથે બેવફાઈ કરી, ખોટું કર્યું, દગો કર્યો એને છોડીને જવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આવી હિ..
from
Rs. 200.00
Add to Cart
આપણે સૌ પરમપિતાના સંતાન છીએ. ઈશ્વર સાથે જોડાયેલા આપણા અસ્તિત્વના તાર આમ જુઓ તો એકસરખા છે. કેટલાક લોકો આ અનુસંધાનને ઓળખે છે જ્યારે, આપણે બધા પરમતત્ત્વ ..
from
Rs. 200.00
Add to Cart
જે સંબંધો સુંવાળા નથી એ સંબંધોને પકડી રાખવા સરળ છે, કારણ કે એ સરકી જાય એવા લિસ્સા નથી, પણ ટકી જાય એવા ખરબચડા છે. આપણને બધાને આપણા અહંકાર સાથે ખૂબ પ્રે..
from
Rs. 200.00
Add to Cart
શું આજે આપણે અજંપામાં જીવન જીવીએ છીએ એનું એક મોટું કારણ એ નથી કે આપણે સતત સુખનું કાયમી સરનામું શોધવા માટે ફાંફાં મારતા રહીએ છીએ? આ સરનામું ન મળે ત્યાર..
from
Rs. 225.00
Add to Cart
આ પુસ્તકના મુખ્ય બે જ હેતુ છે : રાહત અને રૂઝ. રડતા હૈયાને છાનું રાખવા માટે સહાનુભૂતિ, સ્પર્શ અને સથવારાની જરૂર પડે છે. અને ક્યારેક કોઈ સાવ અપરિચિત વ્ય..
from
Rs. 325.00
Add to Cart
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્ર..
from
Rs. 300.00
Add to Cart
આપણે જિંદગી જીવીએ છીએ. રોજેરોજ શ્વાસમાં ભીતર લઈએ છીએ અને ઉચ્છ્‌વાસમાં એને બહાર કાઢી નાખીએ છીએ. આંખનાં આંસુ, હોઠનું સ્મિત, સ્પર્શની સંવેદના કે મનમાં ચા..
from
Rs. 225.00
Add to Cart