We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Ravindranath ni Kavyashrushti By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh

Ravindranath ni Kavyashrushti By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh
Ravindranath ni Kavyashrushti By Shailesh Parekh | Shree Pustak Mandir | Shailesh Parekh
૨૦મી સદીમાં ભારતભૂમિ પર રચાયેલા ઉત્તમ સાહિત્યમાંનું એક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનું રવીન્દ્રસાહિત્ય. એમના સુપ્રસિદ્ધ બંગાળી કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ને બહોળા વાચક વર્ગ સુધી પહોંચાડવા કવિવરે  પોતે તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો, જે ૧૯૧૨માં પ્રગટ થયો. ત્યાર બાદ કાળક્રમે તેમનાં બંગાળી કાવ્યોએ અનેક અનુવાદકોને આકર્ષ્યા, જેમણે તેમનાં કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો. અંગ્રેજી ‘ગીતાંજલિ’ અને અન્ય દ્વારા અંગ્રેજીમાં અનૂદિત કવિવરનાં કાવ્યો ગુજરાતના કાવ્યમર્મી શૈલેશ પારેખને પ્રભાવિત કરે છે અને તેઓ તેનો ગુજરાતી અનુવાદ કરવાની શરૂઆત કરે છે અને આપણને મળે છે કવિ રવીન્દ્રનાથ ટાગોરનાં ૪૮૦ કાવ્યો અને ગીતોનો દ્વિભાષી અનૂદિત કાવ્યસંગ્રહ ‘રવીન્દ્રનાથની કાવ્યસૃષ્ટિ’. માનવીમાં અને દિવ્ય તત્ત્વમાં વિશ્વાસની સુવાસ પ્રસરાવતાં મૂળ બંગાળી કાવ્યોના અંગ્રેજી અને ગુજરાતી અનુવાદ એકસાથે પ્રસ્તુત કરતો આ સંગ્રહ આપણને રવીન્દ્રનાથની સર્જકપ્રતિભાનો ઊંડો પરિચય કરાવે છે. સાથે તેમાં તેમની અનન્ય કાવ્યછટા દ્વારા વિષયવૈવિધ્ય અને વૈપુલ્યનાં પણ દર્શન થાય છે. પુસ્તકમાં દરેક અંગ્રેજી અનૂદિત કાવ્યની સામે ગુજરાતી અનુવાદ મૂકવામાં આવ્યો છે જે સંગ્રહને વધુ માણવા યોગ્ય બનાવશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 1,000.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Ravindranath ni Kavyashrushti By Shailesh Parekh
  • Binding: Hardcover
  • Pages: 365
  • Language: Gujarati
Views: 56
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિ..
from
Rs. 700.00
Add to Cart
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી ..
from
Rs. 140.00
Add to Cart
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; “‘માનસસુંદરી’, ‘જીવનદેવતા’, ‘વિશ્વદેવતા’ અન..
from
Rs. 160.00
Add to Cart
કવિશ્રી પ્રદીપ ખાંડવાળા દ્વારા પ્રથમ અંગ્રેજીમાં રચાયેલાં અને પોતે જ કરેલા ગુજરાતીમાં અનુદિત 300થી વધુ કાવ્યોનો સંગ્રહ છે. પંદર પ્રકરણોમાં વહેંચાયેલો ..
from
Rs. 525.00
Add to Cart
શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ ન..
from
Rs. 225.00
Add to Cart
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ. બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો..
from
Rs. 225.00
Add to Cart
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં. એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્..
from
Rs. 250.00
Add to Cart
હિન્દી ભાષાના નામાંકિત કવિ અશોક વાજપેયી, જે કવિ હોવાની સાથે નિબંધકાર, સમીક્ષક અને બહુઆયામી લેખક છે, જેમનાં ૨૩થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે...
from
Rs. 160.00
Add to Cart