Menu
Your Cart

Vastuparv By Rajendra Patel

Vastuparv By Rajendra Patel
Vastuparv By Rajendra Patel
માણસ જીવંત છે કારણ કે ચેતનની સાથે જડ પદાર્થો સાથે એને નિસબત છે. જીવવા માટે ઉપયોગમાં આવેલી, લેવાયેલી, લેવાતી રહેલી વસ્તુઓ સાથે લાગણી જોડાય છે તેથી એ એ વસ્તુનું જીવનમાં મૂલ્ય ઊભું થાય છે અથવા સ્મૃતિમાં જડાયેલી રહે છે. રાજેન્દ્ર પટેલ એમ કહે છે કે, “આપણી જેમ, વસ્તુજગત અણુપરમાણુનો જથ્થો તો છે જ, એ ઉપરાંત એની પણ એક ચેતના હોય છે. પેલા અણુમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રોટોનની ગતિની જેમ એ મનમાં નવા આકાર સર્જે છે.” કવિચિત્તમાં વસ્તુપદાર્થોના ઝિલાયેલા આકારો કાવ્યસંવેદનરૂપે અહીં રજૂ થયા છે. આ કાવ્યોમાં માળિયું, પૂતળું, રૂમાલ, ગ્લાસ, ટાંકણી, બૂટ, ડસ્ટબીન, માટલું, પોટલું એમ અનેક વસ્તુઓ અવનવા રૂપે પમાય છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 112
  • Language: Gujarati
Rs. 150.00