Menu
Your Cart

Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'

Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'
Dajalaana Kanthethi By LIET. DR. SATISHCHANDRA VYAS 'SHABD'
ઊની પહેરણ પહેરી ખુદની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફીપંથ. સૂફીપંથના સૂફીસંગીત અને સૂફીનૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફીકથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્ત્વજ્ઞાનથી છલકાતી અનેક સૂફીકથાઓ રચી. આ સૂફીકથાઓને બાઉલ સમુદાય પોતાના પરિભ્રમણ દરમિયાન ગાતો રહ્યો, કથતો રહ્યો અને આમ આ કથાઓ કર્ણોપકર્ણ સંભળાતી ગઈ અને અનેક પેઢીઓ અને સીમાઓને ઓળંગી વિશ્વભરમાં ફેલાઈ. લેખક સતીશચંદ્ર વ્યાસ બાઉલ સાથેના સંપર્ક માટે ખૂબ જાણીતા છે. જે સાંપ્રત સમયના સૂફીકથાકાર બાઉલ રસૂલ પાસેથી આવી જ સૂફીકથાઓનું રસપાન કરી તેનો ગુજરાતીમાં અનુવાદ કરે છે અને આપણને મળે છે પુસ્તક ‘દજલાને કાંઠેથી’. હિન્દુ-મુસ્લિમ બંને સંસ્કૃતિઓના તત્ત્વજ્ઞાનથી છલકાતી આ કથાઓ ભાવકોને અધ્યાત્મરસથી તરબતર તો કરે જ છે સાથે બંનેની સામ્યતાને ઉજાગર કરે છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 208
  • Language: Gujarati
Rs. 300.00